દાહોદમાં મનરેગા કૌભાંડમાં કૃષિમંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોની સંડોવણી બહાર આવી છે. આ કૌભાંડનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજનામાં 100 કરોડનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 42 હજારની વસ્તી ધરાવતાં જાંબુઘોડા તાલુકામાં છેલ્લાં ચારેક વર્ષમાં મનરેગાના નામે 300 કરોડના કામો થયા હોવાનું બહાર આવ્યુ છે જેમાં સ્થાનિકોને રોજગાર તો મળ્યો નથી બલ્કે માત્રને માત્ર મટીરિયલ જ સપ્લાય કરીને સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરાયુ છે.

