ઉનાળો શરૂ થતાની સાથે જ આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળા નંબર એકમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શાળામાં મધ્યાહન ભોજનની તૈયારી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતાં આગ લાગી હતી. જેથી વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતાં. જો કે, સદનસીબે તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.

