સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં હોસ્પિટલની બેદરકારીને કારણે એક યુવતીનો જીવ ગયો હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર શહરેમાં સી યુ શાહ હોસ્પિટલની બેદરકારીથી યુવતીનો જીવ ગયો હોવાનો પિતાએ આક્ષેપ લગાવ્યો છે. પરીવારે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, સાંસદ ધારાસભ્ય, જીલ્લા પ્રમુખ, કલેક્ટર, એસપી સહીતના સત્તાધિશોને હોસ્પિટલની બેદરકારીના આ ગંભીર મુદ્દે રજુઆત કરી છે. તેમજ ન્યાય માટે માંગ પણ કરી છે જેથી અન્યના પરિવાર સાથે આ પ્રકારની ઘટના ન થાય.

