
દેશના 120 કરોડથી વધુ મોબાઇલ વપરાશકર્તાઓને ફરી એકવાર મોટો આંચકો લાગી શકે છે. ટેલિકોમ કંપનીઓ આ વર્ષના અંત સુધીમાં રિચાર્જ પ્લાન મોંઘા કરી શકે છે. Research Analysts મતે, ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં મોબાઇલ પ્લાનના દરમાં 10 થી 20 ટકાનો વધારો કરી શકે છે. છેલ્લા 6 વર્ષમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા આ ચોથો મોટો ભાવ વધારો હશે. ગયા વર્ષે જુલાઈમાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેના મોબાઇલ પ્લાનના દરોમાં 25 ટકા સુધીનો વધારો કર્યો હતો.
10 થી 20 ટકા વધુ ખર્ચાળ થશે પ્લાન
રિપોર્ટ અનુસાર, Telecom industry analysts માને છે કે ટેલિકોમ કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરી રહી છે. આ ઉપરાંત નિયમનકારી જરૂરિયાતો, લાઇસન્સ વગેરેને પૂર્ણ કરવામાં થતો ખર્ચ પણ ટેલિકોમ કંપનીઓ પર ભંડોળનું દબાણ લાવી રહ્યો છે. તાજેતરમાં વોડાફોન-આઈડિયાએ સરકારને તેના સ્પેક્ટ્રમ લેણાં 36,950 કરોડને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવા જણાવ્યું છે. આ રીતે વોડાફોન-આઈડિયામાં સરકારનો હિસ્સો 22.6 ટકાથી વધીને 49 ટકા થશે. વિશ્લેષકો કહે છે કે અમે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં 10 થી 20 ટકાના ટેરિફ વધારાની અપેક્ષા રાખીએ છીએ.
નેટવર્ક વિસ્તરણ માટે મોટા પાયે રોકાણ
તેમજ નિષ્ણાતો કહે છે કે વોડાફોન-આઈડિયાએ તાત્કાલિક તેના પ્લાનના દરો વધારવા જોઈએ જેથી 4G વિસ્તરણ અને 5G રોલઆઉટમાં વિલંબને આવરી શકાય. આ માટે કંપનીને મોટા રોકાણની જરૂર છે. ગયા વર્ષે જુલાઈમાં ભાવવધારો થયો હોવા છતાં વોડાફોન-આઈડિયા યોગ્ય ઓપરેશનલ રિકવરી કરી શક્યું નથી. આનું મુખ્ય કારણ ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડો અને 5G લોન્ચ કરવા માટે મોટા પાયે રોકાણ છે.
બીજી બ્રોક્રેજ ફર્મ એમ્બિટ કહે છે કે અમે ડિસેમ્બર સુધીમાં ટેરિફમાં લગભગ 15 ટકાનો વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ. જોકે, સરકારે ટેલિકોમ કંપનીઓને પણ ટેકો આપ્યો છે, જેના કારણે ભાવ વધારા છતાં ભારતમાં રિચાર્જ પ્લાનના દર વિશ્વમાં સૌથી ઓછા છે. સંશોધન વિશ્લેષકો કહે છે કે આગામી સમયમાં ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પ્લાનના દરો વધુ નિયમિત અંતરાલે વધારતી રહેશે, જેથી માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવા છતાં આવકમાં કોઈ નુકસાન ન થાય.