Sabarkantha news: સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી વિસ્તારમાં વ્યાજખોરોના વધતા જતા ત્રાસને પગલે છેલ્લા 45 દિવસમાં સાત વ્યક્તિઓનાં મોત થઈ ચૂક્યા છે ત્યારે ગતરાત્રીએ જાદર પોલીસ દ્વારા નવ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે તેમજ વ્યાજખોરિ સહિત મૃત્યુની દુષ્પપ્રેરણાની કલમો લગાવાઈ છે જોકે અત્યાર સુધીમાં એક આરોપીની અટકાયત થઈ ચૂકી છે તેમજ અન્યની શોધખોળ હાથ ધરાઈ છે.

