બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના રાજીનામા અંગેની અટકળોનો હાલ પૂરતો અંત આવ્યો છે. આયોજન સલાહકાર વાહિદુદ્દીન મહમૂદે શનિવારે ઢાકામાં પત્રકારો સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું કે યુનુસ કે અન્ય કોઈ સલાહકારે રાજીનામા અંગે વાત કરી નથી. બધા પોતપોતાના હોદ્દા પર છે અને સરકારને સોંપાયેલ ફરજો બજાવી રહ્યા છે.

