સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓગષ્ટમાં યોજાનાર 57મા ખાસ પદવીદાનની તૈયારી શરૂ કરાઇ છે. પદવી મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા 1 જૂન 2025થી શરૂ થશે. આ નિર્ણય તાજેતરમાં યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવામાં આવ્યો છે.

