નર્મદા જિલ્લાના રામપુરા નર્મદા નદીના ઘાટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલએ પૂજા અર્ચના કરી હતી. જ્યાં શ્રીફળ નર્મદા નદીમાં પધરાવ્યું હતું. જ્યારે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે. હજારોની સંખ્યામાં પરિક્રમા વાસીઓ આવી રહ્યા છે. તેનો જાત નિરીક્ષણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નદી કિનારે જઈને બોટમાં જતા પરિક્રમાવાસીઓને મળતી સુવિધાઓ અને પરિક્રમા વાસીઓને રૂટમાં મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

