છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મુખ્યમંત્રી સડક યોજનામાં તેમજ અન્ય યોજનાઓમાં વર્ષોથી ડામર રસ્તા જર્જરિત બન્યા હતા. તે ડામર રસ્તા ઉપર નવેસરથી રી-સરફેસિંગ કરવા માટે રાજ્યસરકાર દ્વારા ગ્રાન્ટ ફળવાતાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરો બહાર પાડતા નસવાડી તાલુકાના 45 જેટલા ગામડાઓને જોડતા રસ્તા રિસરફેસિંગ કરવા માટે મંજૂર કરવામાં આવ્યા હતાં. જેનું કામ વડોદરાની નિયતિ કન્ટ્રક્શનને આપવામાં આવ્યું હતું. જેનો વર્ક ઓર્ડર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે જાન્યુઆરી 1/1/2025 ના રોજ આપવામાં આવ્યો હતો. વર્ક ઓર્ડર આપે 70થી વધુ દિવસો વીતી જવા છતાંય હજુ સુધી કામગીરી ડામર રસ્તાની શરુ કરવામાં આવી નથી.

