મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વસતા સિંધી સમાજનું આજે નવું વર્ષ ચેટીચાંદની ઉજવણી ભવ્ય રીતે આજે કરવામાં આવી રહી છે.ત્યારે મહેસાણામાં આજે ભવ્ય વરઘોડો કાઢીને ઉજવણી કરાઈ હતી. જ્યારે કડી શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સિંધી સમાજને નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, સિંધી સમાજ જ્યારે પાકિસ્તાનથી હિજરત કરીને ભારત આવ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સિંધી સમાજ માટે ખાસ વ્યવસ્થા કરી હતી જેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદનો સરદાર નગર વિસ્તાર છે.

