જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનને લઈને ઠોસ નિર્ણયો લીધા છે. પાકિસ્તાને પણ ભારત વિરોધી કેટલાક પગલાં લીધા છે. આ દરમિયાન ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે, ત્યારે દિલ્હી-દુબઈ વચ્ચેની ફ્લાઈટનું સ્ટોપઓવર રાજકોટ કરાયું છે. જેમાં ટેકનિકલ અને મેડિકલ ઇમરજન્સીમાં લેન્ડિંગ માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે.

