Pahalgam Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. આ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા છે. જેને પગલે ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઘટનાને પગલે અઢળક લોકો જમ્મુમાં ફસાયેલા છે. આજે જ ભાવનગરના ફસાયેલા 17 લોકો પોતાના વતન પરત ફર્યા હતા. એવામાં રાજકોટનો એક પરિવાર પણ ત્યાં ફસાયો હતો. જો કે, તંત્રની મદદથી તેમને હેમખેમ પરત લાવવામાં સફળતા મળી છે.

