ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે શનિવારે કહ્યું હતું કે જો ભારત વધુ કોઈ હુમલો નહીં કરે, તો પાકિસ્તાન પરિસ્થિતિને શાંત કરવા પર વિચાર કરશે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો ભારત કોઈ નવો હુમલો કરશે તો અમારો જવાબ ચોક્કસ આપવામાં આવશે. ડારે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જીઓ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "અમે જવાબ આપ્યો કારણ કે અમારી ધીરજ ખૂટી ગઈ હતી. જો ભારત અહીં રોકાય છે, તો અમે પણ રોકવાનું વિચારી શકીએ છીએ."

