ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો આજે ચોથો દિવસ છે. શુક્રવારે રાત પડતાની સાથે જ પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા શરૂ કર્યા. ભારતીય લશ્કરી દળો દ્વારા તેને નિષ્ફળ બનાવવામાં આવ્યું. પાકિસ્તાન બેકફૂટ પર આવ્યું. ભારતે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામની જાહેરાત કરી. રાત્રે 9 વાગ્યે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો. જમ્મુ અને કાશ્મીરમાં LoC પર ગોળીબાર થયો. શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા અને ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા.

