પહલગામ હુમલા અંગે નિવેદન કરનાર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ભારે વિવાદમાં ફસાયા છે. તેમનું નિવેદન પાકિસ્તાનના સમાચાર પત્રોની હેડલાઈનમાં છપાતા ચોતરફ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. વાસ્તવમાં પાકિસ્તાની મીડિયાએ સિદ્ધારમૈયાના નિવેદનને જુદાં જ એન્ગલમાં છાપી દીધું છે, ત્યારબાદ તેઓ ભાજપના નિશાના પર આવી ગયા છે. બીજી તરફ વિવાદ બાદ તેમણે સ્પષ્ટતા કરી છે કે, ‘મેં ક્યારેય એવું કહ્યું નથી કે યુદ્ધ ન કરવું જોઈએ. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.’

