'પંચાયત' ને ભારતીય સિનેમાની બેસ્ટ વેબ સિરીઝમાંથી એક માનવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સિરીઝની 3 સિઝન રિલીઝ થઈ છે, જેણે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું છે. દર્શકોને ફુલેરા ગામ, સચિવજી અને પ્રધાનજી જેવા પાત્રો ખૂબ ગમ્યા છે, જેના કારણે 'પંચાયત' ની ત્રણેય સીઝન સફળ રહી છે. હવે મેકર્સ દ્વારા 'પંચાયત' ની આગામી સિઝન 4ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જેની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

