પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બસ પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર હુમલાખોરોએ 9 લોકોને ઓળખ પૂછીને ગોળી મારી હતી. બસ હુમલામાં માર્યા ગયેલા મુસાફરો પાકિસ્તાનના પંજાબના હતા. તે ક્વેટાથી લાહોર જતા હતા. આ લોકોનું અપહરણ કર્યા બાદ તેમને અજાણી જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા અને પછી 9 લોકોની હત્યા કરવામાં આવી હતી.

