અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં એક મુસાફર સિવાય બીજું કોઈ બચી શક્યું નહીં. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ગુરુવારે ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171માં તેઓ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા. ભૂતકાળમાં પણ ભારતની અંદર ઘણી વખત વિમાન દુર્ઘટના બની છે. જેમાં ઘણાં દિગ્ગજ નેતાઓનું પણ મોત થયું છે. કોંગ્રેસના નેતા માધવરાજ સિંધિયા, વાયએસઆર, સંજય ગાંધી જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

