સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં મૃત્યુ પામેલા આત્માઓને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તા. 22, એપ્રિલ, 2025, મંગળવારે બપોરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

