Home / Gujarat / Rajkot : Anger in Kshatriya community over action against PT Jadeja under PASA Act

VIDEO: પીટી જાડેજા વિરુદ્ધ કાર્યવાહી બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશ, ફરી કરશે આંદોલન?

ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે. રાજકોટમાં બહુમાળી ચોક ખાતે 60થી વધુ ક્ષત્રિય સમાજના પુરુષો તેમજ મહિલા અગ્રણીઓ થઈ  કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપશે. ક્ષત્રિય સમાજે કહ્યું કે, ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કારણે રાજકીય કિન્નાખોરી રાખી કાર્યવાહી કરાઈ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ક્ષત્રિય સમાજના અગ્રણી અને સંકલન સમિતિના સભ્ય ટીકુભા જાડેજાએ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે, સાંસદના કહેવાથી જો સામાન્ય ગુનામાં સરકાર આ રીતે ફીટ કરતી હોય તો વિચારવા જેવું છે. ધમકીના ગુનામાં જો આ રીતે પાછા કરવામાં આવે તો રાજકોટની 50% પ્રજા પાસામાં હોય..

આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક મહત્વપૂર્ણ ક્ષત્રિય સમાજની મીટીંગ થવાની છે. જેમાં આગામી સમયમાં આ બાબતે કઈ રીતે લડત કરવી તે બાબતે ચર્ચા કરવામાં આવશે. ત્યારે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાઓ અને કરણી સેના લડત ચલાવશે

 

Related News

Icon