ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે. રાજકોટમાં બહુમાળી ચોક ખાતે 60થી વધુ ક્ષત્રિય સમાજના પુરુષો તેમજ મહિલા અગ્રણીઓ થઈ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપશે. ક્ષત્રિય સમાજે કહ્યું કે, ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કારણે રાજકીય કિન્નાખોરી રાખી કાર્યવાહી કરાઈ છે.

