ગુજરાતના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલનને મજબૂતી આપનાર પી.ટી. જાડેજાને તાલુકા પોલીસે બે દિવસ પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી ન કરવા ધમકી આપવાના મામલે ઝડપી લીધા હતા.
જસમીન મકવાણાએ પી.ટી. જાડેજા પર લગાવ્યા હતા ગંભીર આરોપ
પી.ટી. જાડેજાસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જસમીન મકવાણાએ આરોપ લગાવ્યો હતો કે જાડેજાએ અપશબ્દોનો ઉપયોગ કરીને ધમકી આપી હતી અને તલવાર લઈને બેસવાની ચીમકી આપી હતી.
પી.ટી. જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા
આ ઘટના બાદ પી.ટી. જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે. ધરપકડના સમાચાર મળતાં જ ક્ષત્રિય સમાજના કાર્યકરો અને આગેવાનો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા, જેના કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જોકે ચુસ્ત બંદોબસ્ત હેઠળ તેમને અમદાવાદ ખાતે સાબમરતી જેલમાં ખસેડવામાં આવ્યા હતા.