રાજકોટમાં ગત રોજ બસ ચાલકે સંખ્યાબંધ વાહનોને ટક્કર મારી હતી, આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ અકસ્માતની ઘટનામાં કંપનીને માત્ર 2674 રૂ.નો દંડ ફટકારીને તંત્રએ સંતોષ મેળવ્યો છે. એજન્સીનું સંચાલન મનપાના પૂર્વ આસી.ઇજનેર જસ્મિન રાઠોડ અને ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર નામની વ્યક્તિ સંભાળે છે.

