Rajkot News: રાજકોટમાં વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક જામ, પ્રદુષણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ કલેક્ટર સાથે સંકલન બેઠકમાં વારંવાર લાંબા સમયથી આ સ્થળ બદલવા રજૂઆત કરી હતી. પરંતુ ઉપલા લેવલે રજૂઆત હજુ સુધી સ્વીકારાઈ નથી. હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં 14મીથી 18મી ઓગષ્ટ 2025 સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજવાની જાહેર કરી છે. ત્યારે આ વખતે રાઈડ્સ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં કોઈ ફેરફાર કરાયો નથી.

