Rajkot News: રાજકોટના ઐતિહાસિક લોકમેળાને લઈને જિલ્લા કલેકટરનું નિવેદન સામે આવ્યું છે. લોકમેળા અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, સરકારની જે SOP હશે તે મુજબ જ રાઈટ્સ સંચાલકોને મંજૂરી આપવામાં આવશે. સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. જ્યારે રાઇડ્સ સંચાલકોની જે પણ માંગણી હશે તે પણ સરકારમાં મૂકવામાં આવશે.

