રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં પિતા પુત્રનું ઝેરને કારણે મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે આ ઘટના બની જેમાં ખેડૂત પિતા અને પુત્રનું કરુણ મોત નિપજ્યું છે. મોટી મારડ ગામના અને કૃષ્ણ નગર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ખેડૂત જીજ્ઞેશ ભાઈ દલસાણીયા ભાગીયાની વાડીએ દવાનો છંટકાવ કરતા તેમને ઝેર ચડી ગયું હતું જેને કારણે તેમનું મોત નિપજ્યું હતું.

