Rajkot News: રાજકોટના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે સતત રોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એવામાં રીબડાના અમિત ખૂંટના આત્મહત્યાનો કેસ અંતર્ગત મૃતકની પત્નિએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરાઇ છે. અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહને તાત્કાલિક પકડવાની માંગ કરાઇ છે. આરોપીઓ અને મૃતક એક જ ગામના હોવાથી અનિરુદ્ધસિંહનો પુત્ર શક્તિસિંહ ગામમાં ભય ફેલાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. મૃતકની પત્નિએ પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી છે.

