વાંધાજનક નિવેદનના કેસમાં ફસાયેલા પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia) ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia) નો જપ્ત કરાયેલ પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલ્હાબાદિયાનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો. હવે આ આદેશ પછી તેમણે પાસપોર્ટ અલ્હાબાદિયા પરત કરવો પડશે.

