Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરમાં 27મી જૂને યોજાનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથત્રા પહેલા કોમી એકલાસના દર્શન થયા હતા. જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી કોમી એકતા રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સર્વધર્મના આગેવાનો જોડાયા હતા. જે બાદ સર્વધર્મના આગેવાનો મળીને ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રથયાત્રા પહેલા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો હતો. વર્ષ-2000ની સાલથી શરૂ કરવામાં આવેલા પરંપરા 26મા વર્ષે પણ યથાવત્ રહી હતી. ભગવાનની રથયાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી હોય ત્યારે મુસ્લિમ આગેવાનો દ્વારા કોમી એખલાસ જાળવવા પ્રયાસ કરાય છે.

