Home / Business : Why is Gandhi Bapu's picture still printed on currency notes today?

ચલણી નોટો પર આજે પણ ગાંધી બાપુની તસવીર જ કેમ છાપવામાં આવે છે? ભારતીય રિઝર્વ બેંકે આપ્યો જવાબ

ચલણી નોટો પર આજે પણ ગાંધી બાપુની તસવીર જ કેમ છાપવામાં આવે છે? ભારતીય રિઝર્વ બેંકે આપ્યો જવાબ

Reserve Bank of India: શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર કેમ છપાય છે. ભારત જેવા દેશમાં મહાન વ્યક્તિઓની કોઈ કમી નહોતી, પરંતુ નોટો પર આજે પણ બાપુની તસવીર જ કેમ છાપવામાં આવે છે. આ સવાલનો જવાબ ભારતીય રિઝર્વ બેંકે આપ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિઝર્વ બેંકે કહ્યું કે, ભારતીય રુપિયા પર કોઈ મશહુર વ્યક્તિત્વની તસવીર લગાવવા માટે રવિન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા વગેરે જેવા ઘણાં મોટા નામોનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ એ પછી મહાત્મા ગાંધીના નામ ફાઈનલ થયું. દરેક લોકોએ સહમતિ આપી અને સર્વસંમતિ લીધા પછી જ આઝાદી કાળથી ચલણી નોટો પર ગાંધીજીની તસવીર છપાય છે. આ વાતનો ઉલ્લેખ RBIના કાર્ય પર બનેલી એક ડોક્યુમેન્ટ્રીમાં કરાયો છે. 

કેમ નોટો પર બીજા કોઈની તસવીર ન છપાઈ

રિઝર્વ બેંકે આગળ કહ્યું કે, 'નોટ પર કોઈ પ્રખ્યાત વ્યક્તિની તસવીર હોવાથી તે ઓળખવામાં સરળતા રહે છે કે નોટ અસલી છે કે નકલી. કારણ કે, નકલી નોટોની ડિઝાઈન સારી નથી, તો તેને તસવીરોની મદદથી નોટને અસલી કે નકલી તેની ઓળખ કરી શકાય છે. ભારતમાં નોટોની ડિઝાઈન અને સેફ્ટી ફેસિલિટીઝને જોતા આમ તો ઘણા પ્રખ્યાત હસ્તિઓની તસવીર નોટો પર છાપી શકાતી હતી. તેના માટે રવીન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા અને અબ્દુલ કલામ આઝાદ સહિત અનેક પ્રખ્યાત લોકોના નામ વિચાર પર લેવામાં આવ્યા હતા, પરંતુ અંતમાં મહાત્મા ગાંધી પર વાત નક્કી થઈ.' 

અંગ્રેજોના જમાનામાં કેવી હતી નોટો

આઝાદી પહેલા એટલે કે, અંગ્રેજોના જમાનામાં ભારતીય ચલણોમાં સંસ્થાનવાદ અને તેની સાથે સંકળાયેલા ઐતિહાસિક અને રાજકીય સંદર્ભોની ઝલક જોવા મળતી હતી. તેમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ (વાઘ, હરણ) ના ચિત્રો હતા. રુપિયા પર 'સુશોભિત હાથીઓ' અને રાજાના અલંકૃત ચિત્રો દ્વારા બ્રિટિશ સામ્રાજ્યની ભવ્યતા દર્શાવવામાં આવી હતી.

પહેલીવાર નોટ પર બાપુની તસવીર ક્યારે છપાઈ

ભારતીય રિઝર્વ બેંકની વેબસાઈટ પ્રમાણે 2 ઓક્ટોબર,1969 ના રોજ મહાત્મા ગાંધીના જન્મદિવસને 100 વર્ષ પૂરા થતા હોવાથી પહેલીવાર 100 રુપિયાના સ્મારક નોટ જારી કરી હતી. તેમાં ગાંધી સેવાગ્રામ આશ્રમની સાથે તેમની તસવીર છપાઈ હતી. 

ક્યા જોવા મળશે આ ડોક્યુમેન્ટ્રી

RBIએ એક ડોક્યુમેન્ટ્રી દ્વારા એ જણાવ્યું છે કે, આ પ્રિન્ટિંગ પ્રેસથી દેશના ખૂણે ખૂણે રુપિયા પહોંચાડવા માટે ટ્રેન, જળમાર્ગ, વાયુમાર્ગ અને પરિવહન સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ પહેલીવાર છે જ્યારે આરબીઆઈની ભૂમિકા કેવી છે, કેવી રીત કામ કરે છે, આ ડોક્યુમેન્ટ્રી તરીકે જાહેર કર્યું છે. આ ડોક્યુમેન્ટ્રીનું નામ 'RBI Unlocked: Beyond the Rupi' છે. જેને તમે JioCinema પર પણ જોઈ શકો છો. 

Related News

Icon