IPL 2025માં 3 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ રમાઈ હતી. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં CSKને 2 રને હારનો સામનો કરવો પડ્યો હતો. એમએસ ધોની ટીમ માટે કંઈ ખાસ ન કરી શક્યો. જોકે, મેચ પછી એમએસ ધોનીએ હાર માટે પોતાને જ દોષી ઠેરવ્યો હતો. મેચ પછી તેણે એક મોટું નિવેદન આપ્યું છે. ધોનીએ 8 બોલમાં 12 રન બનાવ્યા હતા.

