આજે (3 જૂન) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ રમાશે. બંને ટીમ પોતાનું પહેલું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. બંને ટીમો તે માટે તૈયારી પણ કરી રહી છે. ત્યારે મેચ પહેલા RCBના કેપ્ટન રજત પાટીદારે કહ્યું, ટીમ આ વખતે IPL ટાઈટલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે કારણ કે તે વિરાટ કોહલી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે વિરાટે 18 વર્ષથી ટીમ અને દેશ માટે મોટું યોગદાન આપ્યું છે અને ટ્રોફી જીતવાનો તેના માટે ખાસ અર્થ છે. RCB ટીમ અત્યાર સુધીમાં ત્રણ વખત 2009, 2011 અને 2016માં IPL ફાઈનલ રમી છે, પરંતુ દરેક વખતે ટાઈટલથી દૂર રહી છે. કોહલીએ ઘણી શાનદાર ઈનિંગ્સ રમી છે, છતાં ટીમનો ટાઈટલનો દુકાળ હજુ પણ ચાલુ છે.

