ગત વર્ષે સારો વરસાદ થયો હોવા છતાં ઉનાળાની શરુઆત સાથે જ પાણીની અછત જોવા મળી છે. ગુજરાતના 63 જળાશયોમાં જળસ્તર 30 ટકાથી પણ ઓછું નોંધાયું છે. જેમાં 20 ટકા જળાશયોમાં જળસ્તર 10 ટકાથી પણ ઓછું છે. જળસ્તરનો આ આંકડો મધ્ય ઉનાળામાં જ ગુજરાતના અનેક ગામડાંઓમાં પાણીની અછત ઊભી કરે તેવી ભીતિ સર્જાઈ છે.

