Home / Gujarat : BJP's organisations VHP - Bajrang Dal, which were silent on Manipur issue, filed a petition on Bengal riots issue

મણીપુર મામલે મૌન રહેલી ભાજપની ભગીની સંસ્થાઓ બંગાળ રમખાણો મુદ્દે રસ્તા પર ઉતરી 

મણીપુર મામલે મૌન રહેલી ભાજપની ભગીની સંસ્થાઓ બંગાળ રમખાણો મુદ્દે રસ્તા પર ઉતરી 

પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ પર અત્યાચાર મામલે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત રાજ્યભરમાં વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળે રેલી યોજી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી હતી. અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે મમતા બેનરજીનું પૂતળું બાળી વિરોધ નોંધાવતાં પોલીસ અને હિન્દુ સંગઠનો વચ્ચે ચકમક ઝરી હતી. તો બીજી તરફ વડોદરામાં યુસુફ પઠાણનો વિરોધ કરવા રસ્તે ઉતર્યા હતા, ત્યારબાદ બેનરો સાથે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. રેલી દરમિયાન જયશ્રી રામ નારા અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. તો રાજકોટમાં પણ પશ્વિમ બંગાળમાં હિન્દુઓની હત્યાની તપાસ એનઆઇએને સોંપવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon