અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં મૃત્યુ પામનાર મેઘાનું શબ થલતેજ સ્મશાને લાવવામાં આવ્યું છે. અમદાવાદ ઈન્કમટેક્સમાં ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપનાર સુનિલ મહેતા તેમના પત્ની અને પુત્રી મેઘાનું મૃત્યું થયું છે. મૃતક મેઘા વિઝિટર વિઝા ઉપર માતાપિતાને લંડન ફરવા લઈ જઈ રહી હતી. મૃતક મેઘાના અંતિમ સંસ્કારમાં વેજલપુર ભાજપ ધારાસભ્ય અમિત ઠાકર પણ હાજર છે.

