જામનગરની રંગમતિ-નાગમતિ નદી પર રિવરફ્રન્ટ યોજનાને મંજૂરી મળી હોવાના સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે, એટલું જ નહીં આ પ્રોજેક્ટને ડ્રીમ પ્રોજેક્ટ ગણાવીને નેતાઓ અધિકારીઓ વાહવાહી લૂંટવામાં પણ લાગી ગયા છે. જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ખુદ થોડાક દિવસ અગાઉ મીડિયા સાથે વાત કરતા આ યોજનાની માહિતી આપી હતી. ઉપરાંત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ આ મામલે એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં ઉલ્લેખ કરાયો છે કે...

