લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભોપાલમાં એક જાહેર સભાને સંબોધિત કરતા પીએમ મોદી અને RSS- ભાજપ ઉપર જોરદાર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ પાકિસ્તાન સામે યુદ્ધવિરામ અંગે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, ત્યાંથી ટ્રમ્પનો એક ફોન આવ્યો અને નરેન્દ્ર સરેન્ડર.રાહુલે કહ્યું કે જો તમે ભાજપ-આરએસએસના લોકો પર થોડું પણ દબાણ કરો તો તેઓ ડરીને ભાગી જાય છે. દેશમાં વિચારધારાની લડાઈ પર ભાર મૂકતા રાહુલ ગાંધીએ ભાજપ પર બંધારણને નબળું પાડવાનો અને સામાજિક ન્યાયની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો.

