Ahmedabad News: અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણી મામલે હાઇકોર્ટ વારંવાર રાજ્ય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશનને ફટકાર લગાવી ચૂકી છે. તંત્ર દ્વારા પગલાં લેવાતા હોવાનો દેખાડો પણ કરવામાં આવે છે. પરંતુ, સ્થિતિમાં કોઈ ફરક નથી પડતો. જોકે, દિવસેને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે. શાસ્ત્રી બ્રિજથી આગળ થોડા થોડા અંતરે નદીના પટમાંથી લેવાયેલા સેમ્પલમાં પાણીનો કલર રીતસર બદલાતો જોવા મળ્યો છે!

