Home / Entertainment : Did Karisma's ex-husband Sanjay had a premonition of death three days ago

'સમય ઓછો છે', કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરને ત્રણ દિવસ પહેલા જ થઈ ગયો હતો મૃત્યુનો આભાસ?

'સમય ઓછો છે', કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરને ત્રણ દિવસ પહેલા જ થઈ ગયો હતો મૃત્યુનો આભાસ?

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરે 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરુવારે, યુકેમાં પોલો રમતી વખતે, તેને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું સ્થળ પર જ મૃત્યુ થયું. ત્રણ દિવસ પહેલાની તેની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને જોઈને એવું લાગે છે કે સંજય કપૂરને તેના મૃત્યુનો ખ્યાલ આવી ગયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સંજય કપૂરને ત્રણ દિવસ પહેલા મૃત્યુનો આભાસ થયો હતો?

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરે તેના મૃત્યુના ત્રણ દિવસ પહેલા તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર મંડે મોટિવેશન પોસ્ટ કરી હતી, જેના કેપ્શનમાં લખ્યું હતું, "પ્રગતિ માટે બોલ્ડ વિકલ્પોની જરૂર છે, પરફેક્ટ પરિસ્થિતિઓ નહીં." વધુમાં, તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, "પૃથ્વી પર તમારો સમય ઓછો છે" કેટલાક લોકો હવે તેની આ પોસ્ટને તેના મૃત્યુ સાથે જોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે સંજય કપૂરને ત્રણ દિવસ પહેલા તેના મૃત્યુનો આભાસ થયો હતો.

કરિશ્મા અને સંજય 2014માં અલગ થયા

સંજય અને કરિશ્માના 2003માં લગ્ન થયા હતા અને તેમને બે બાળકો છે - પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. બંને 2014માં અલગ થયા હતા અને 2016માં તેમના છૂટાછેડા થયા હતા. 2017માં, સંજયે મોડેલ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને એક પુત્ર અઝારિયસ છે, તેણે પ્રિયાની પુત્રી સફિરા ચટવાલની જવાબદારી પણ લીધી હતી.

Related News

Icon