Rajkot news: રાજકોટ પંથકમાં આવેલું સરધાર ગામ આજે સ્વયંભૂ બંધ રહ્યું હતું. કારણ હતું અસામાજિક તત્વોના ત્રાસથી ગ્રામજનો એકઠા થઈને બંધ પાળ્યો હતો. બાદમાં આક્રોશ સભાનું આયોજન કરી ગામમાં અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. સરધાર ગામમાં અવાર નવાર અસામાજિક તત્વો વેપારીઓ પર હુમલો કરતા હોવા ઉપરાંત અન્યોને રંજાડતા હોવાની ફરિયાદો ઉઠી છે.

