નવી શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ જ નહીં પણ ચિત્ર, વ્યાયમ, સંગીત અને રમત ગમત જેવી ઈત્તર પ્રવૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવા ભાર વિનાના ભણતરનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, જેના ભાગ રૂપે બેગલેસ ડેની જાહેરાત કરવામાં આવી છે. બેગલેસ ડેની મોટા ઉપાડે જાહેરાત તો કરી દેવામાં આવી છે, ગુજરાતમાં શિક્ષણ વિભાગ કેલેન્ડર મુજબ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આજે પણ 40 હજાર જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે.

