22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. એક તરફ પાકિસ્તાનની નિંદા થઈ રહી છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) એ એક શરમજનક કામ કર્યું છે. આતંકવાદી હુમલાની નિંદા કરવાને બદલે, આફ્રિદીએ ભારત પાસે પુરાવા માંગ્યા.

