મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હાલ NCP અને NCP-SPના વિલીનીકરણની ચર્ચાએ જોર પકડી રહી છે. NCP પ્રમુખ અજિત પવાર અને NCP-SP વડા શરદ પવાર ઘણા કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા બાદ આ ચર્ચા શરૂ થઈ છે. દરમિયાન, NCP-SP ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે બુધવારે (14 મે) પાર્ટીની રાજ્ય કારોબારીની બેઠક બોલાવી છે.

