એક તરફ રાજ્યભરની પોલીસ ગુનાહિત કૃત્ય કરનાર સામે ખાસ કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ ચોર તસ્કરોની ટોળકીઓનો આતંક થાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં પાટણ જિલ્લામાં તસ્કરોનો વધુ એક તરખાટ સામે આવ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સુજાણપુર ગામે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. સુજાણપુર ગામે રાજપૂત વાસમાં રાજપૂત જયરાજસિંહના ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. માલિક ઘરમાં સૂતા રહ્યા અને તસ્કરો આવીને હાથ ફેરો કરીને જતા રહ્યા.

