સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની ફિલ્મ 'પરમ સુંદરી' (Param Sundari) ની રિલીઝ તારીખમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. ફિલ્મ મૂળ પ્લાનિંગ પ્રમાણે 25 જુલાઈના રોજ રિલીઝ કરવાની હતી. પરંતુ, તે જ દિવસે અજય દેવગણની 'સન ઓફ સરદાર 2' રિલીઝ થઈ રહી છે. તે ઉપરાંત પણ સમગ્ર મહિનામાં બીજી અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. તેથી, બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવા 'પરમ સુંદરી' (Param Sundari) ની રિલીઝ પાછી ઠેલાય તેવી સંભાવના છે.

