પશ્ચિમ બંગાળમાં હિન્દુ સમુદાય સામે સતત વધી રહેલી હિંસા, ધર્માંતરણ અને હત્યાના બનાવોને લઈ હવે રાષ્ટ્રવ્યાપી વિરોધ દેખાવનો માંહોલ સર્જાઈ રહ્યો છે. સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની સહિતના અનેક હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ને વિરોધ નોંધાવાયો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સામે થતા અત્યાચારની ઘટનાઓને લઇ રાષ્ટ્રપતિ સુધી મામલો પહોંચાડવાનો છે.

