Ahmedabad: ગુરુવાર ગુજરાત સમાચારનાં ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વનાં સંચાલક મંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતા તથા પોતાની વિશિષ્ટ નિર્ણયક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાને કારણે વિવિધ આવૃત્તિઓનું સંચાલન કરીને મેનેજમેન્ટ સંભાળતા શ્રીમતી સ્મૃતિબેન શાહે આજે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ચિરવિદાયની સાથે ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા અને વિશાળ લોકસંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા પણ ખાલી પડી છે.

