જસપ્રીત બુમરાહ ઈજાના કારણે IPL 2025ના શરૂઆતના તબક્કામાં નથી રમી રહ્યો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન તે ઘાયલ થયો હતો અને ત્યારથી તે ભારતીય ટીમની બહાર છે. આ કારણોસર, તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ ભાગ નહતો લઈ શક્યો અને IPLની મેચમાંથી પણ બહાર છે. હવે બુમરાહ પર એક નવું અપડેટ આવ્યું છે. એક અહેવાલ મુજબ, બુમરાહ માટે 4 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ અને 7 એપ્રિલે RCB સામેની મેચમાં રમવું મુશ્કેલ છે.

