નાગપુર ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી વનડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા સિવાય કેએલ રાહુલ પણ બેટથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. રોહિત માત્ર બે રન કરીને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ કેએલ રાહુલ પણ બે રન કરીને પવેલિયનભેગો થઇ ગયો હતો. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે રાહુલની બેટિંગ સ્ટાઈલ પર ભડકી ગયા હતા અને તેમણે આ ખેલાડીની આકરી ટીકા કરી હતી.

