ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને 16 દિવસ વિત્યાં છે, ત્યારે હજુય સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મડાગાઠ જારી છે. જોકે, સરકારે છેલ્લું અલ્ટીમેટમ આપ્યું છે કે, જો ત્રીજી તારીખ સુધી હાજર નહીં થાવ તો જે કર્મચારીઓ સામે પગલાં લેવાયાં છે તે પરત લેવાશે નહીં.

