- 'હેરાફેરી-3'ના શૂટિંગ વખતે અક્ષયકુમાર, પરેશ રાવલ અને હું ઓમ પુરીને બહુ જ મિસ કરીએ છીએ. 'હેરાફેરી-૧'ની સફળતામાં તેમનું બહુ મોટું યોગદાન હતું...'
સુનીલ શેટ્ટીના જીવનમાં અનેરી આનંદની છોળો આવી છે. આ અભિનેતા અને તેની પત્ની માના શેટ્ટી આ પળોને માણી રહ્યા છે. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને તેના પતિ કે. એલ. રાહુલને ત્યાં દીકરી અવતરી છે. નાનકડી એવરાહનું આગમન થવાથી સુનીલ શેટ્ટી હવે નાના બની ગયા છે.

